Friday 16 December 2011

એક બાપુએ સીંહને માર્યો....!!

એકવાર એક બાપુ સિંહ મારવા જંગલમાં ગયા હતા. આવીને કહે, એક સિંહને મારી નાખ્યો પણ કેવી રીતે ખબર છે ? એ સિહને મારી બંદૂક દેખાડી ત્યાં જ એ મરી ગયો,

એવામાં બીજા બાપુ હતા એ કહે, તમે તો બંદુક દેખાડી હું પણ એકવાર સિંહ મારવા ગયો હતો, ત્યારે મે તો એને ખાલી મારું બંદુકનું લાઈસન્સ જ દેખાડ્યુ તો એ મરી ગયો.

પછી બન્ને બાપુએ મારી સામે જોયુ કા પટેલ તમે કંઈ આવું કામ કર્યું છે, હું વિચારમાં પડ્યો, મેં કહ્યું હું તમારી જેમ જંગલમાં સિંહ મારવા નહોતો ગયો, પણ એકવાર મને રસ્તમાં સિંહ મળી ગયો, તો મેં એને કહ્યું ઓ સિંહ આવડો માટો જંગલનો રાજા થઈને કપડા વગરનો, નાગો-પુગો ફરે છે, શરમ નથી આવતી. તો બિચારો શરમથી પાણી-પાણી થઈને ત્યાં જ મરી ગયો.

બન્ને બાપુઓ વિચારમાં પડી ગયા.



No comments: